બાળકના જન્મ સમયે દરેક માતા-પિતા એનાં સલામત ભવિષ્યને લઇને ચિંતિત હોય છે. એમણે બાળકની સ્કૂલ નક્કી કરી એન્જીનિયર એ પણ નક્કી થઇ ગયું હોય છે, એ ફોરેન યુનિવર્સિટીમાં ભણી શકે અને એનાં ભવ્યાતિભવ્ય લગ્ન થઇ શકે એનું પ્લાનિંગ પણ માતા-પિતાએ કરી લીધું હોય છે. પણ, બાળકનાં સ્વાસ્થ્યનું પ્લાનિંગ ? તમે કહેશો કે મેડિક્લેમ લીધો ને…! પણ, મેડિક્લેમ બાળકને માંદુ પડ્યા બાદ સાજુ નહીં કરી શકે ! જો તમે બાળકનાં જન્મ સમયે ગર્ભનાળ સાથે જોડાયેલા એનાં સ્ટેમસેલ પ્રિઝર્વ કરાવશો તો ભવિષ્યમાં તમારૂં બાળક અને તમારા પરિવારનાં સભ્યો કેન્સર જેવી બિમારીથી વધારે ગંભીર બિમારીઓ વચ્ચેથી સાજાં થઇ શકે છે.